રાધનપુર તાલુકાના સાત ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાત ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે ગ્રામ પંચાયતો માં ટમ પૂરી થતાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી.રાધનપુર તાલુકા વિકાસ અધિકારી ના જણાવ્યા અનુસાર રાધનપુર તાલુકાના લોટીયા જુથ ગ્રામ પંચાયત ખાતે નરેશ કે પાવરા તલાટી કમ મંત્રી મેમદાવાદને વહીવટદાર તરીકે નિમણૂક કરી હતી. ચલવાડા ગ્રામ પંચાયત ખાતે દશરથભાઈ જી ઠાકોર નાનાપુરા તલાટી કમ મંત્રીને નિમણૂક કરવામાં આવી,સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે શ્રીમતી ગાયત્રીબેન પ્રજાપતિ ની નિમણૂક કરવામાં આવી,દેલાણા ગામ પંચાયત ખાતે શ્રીમતી ભીખીબેન બી રબારી વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવેલ,ના પીપળી ગ્રામ પંચાયત ખાતે માનસુગભાઈ ઠાકોર ને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી, કમાલપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે વહીવટદાર તરીકે શક્તિદાન ગઢવી તલાટી કમ મંત્રી વિજયનગરની નિમણૂક કરવામાં આવેલ, ભીલોટ ગ્રામ પંચાયત કચેરી ખાતે શ્રીમતી ચેતનાબેન એલ ચૌધરી ની ધોળકડા તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવી

આમ,પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાત ગ્રામ પંચાયતો વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment